Hardik Pandya Fitness Updates: આગામી મેચ પણ નહી રમે, શું સેમિફાઇનલ રમી શકશે ?

By: nationgujarat
30 Oct, 2023

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં અને લખનૌમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમી શક્યો નહોતો. હવે ભારતે 2023 ODI વર્લ્ડ કપમાં આગામી મેચ 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમવાની છે. એવા અહેવાલો છે કે તે આ મેચ પહેલા મુંબઈમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે, પરંતુ મેચ રમશે નહીં. જો કે ક્રિકેટ ચાહોકમાં ચિંતા છે કે શું વિશ્વકપની સેમિફાઇનલ સુધીમાં પંડયા ફિટ થશે કે નહી તે સવાલ થઇ રહ્યો છે કારણ કે લીગામેન્ટની ઇજામાં સાજા થવામાં એક થી બે મહિનાલ લાગી શકે છે તેથી આ અંગે મેનેજમેન્ટ સપષ્ટ કરવું જોઇએ કે વિશ્વકપની બાકીની મેચ રમશે કે કેમ.

પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો
પંડ્યા હાલમાં તેના પગની ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જે તેને 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભોગવ્યો હતો. બીસીસીઆઈના સૂત્રનું કહેવું છે કે હા, પંડ્યા મુંબઈમાં ટીમ સાથે જોડાશે. હાલમાં તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્વસ્થ થઈ રહ્યો છે. અત્યારે અમને ખાતરી નથી કે તે શ્રીલંકા સામે રમશે કે નહીં, પરંતુ ટીમમાં તેનો સમાવેશ નિશ્ચિત છે.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે બે મેચ રમી નથી
પંડ્યાનું ભારતીય ટીમમાં પુનરાગમન ચોક્કસપણે યજમાન ટીમ માટે સારા સમાચાર હશે, જેમણે અત્યાર સુધીમાં પોતાની તમામ છ વર્લ્ડ કપ મેચો જીતી છે. પંડ્યા બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે તેના ફોલો-થ્રુ બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. 22મી ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ અને 29મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે મેચ રમી શક્યો ન હતો.

આવું હાર્દિકનું પ્રદર્શન રહ્યું છે
તેમની ગેરહાજરીને કારણે, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને સામે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર મેચમાં 11 રન બનાવવા ઉપરાંત પંડ્યાએ 22.60ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે. જોકે તેને બેટિંગ કરવાની મર્યાદિત તકો મળી છે. ભારતીય ટીમના ચાહકો ઈચ્છે છે કે પંડ્યા ઓછામાં ઓછા સેમીફાઈનલ સુધી સંપૂર્ણ રીતે ફિટ રહે.


Related Posts

Load more